‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું સ્ફોટક નિવેદન

By: Krunal Bhavsar
23 Nov, 2025

Rajnath Singh’s Big Statement: ‘Sindh May Return to India Someday’ : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન ના સિંધ મુદ્દે રવિવારે મોટું  “સ્ફોટક” નિવેદન આપ્યું છે. દિલ્હી સ્તિથ સિંધી સમાજના એક કાર્યક્રમમાં રાજનાથ સિંહ હાજર રહ્યા હતા , તેમણે સંબોધન દરમિયાન જણાવ્યું, કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ નથી પણ સિંધી સભ્યતા હંમેશા ભારતનો અંગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે, સરહદો તો બદલાયા કરે છે. કોણ જાણે કાલે સિંધ ફરી ભારતમાં પાછું આવી જાય. ! ‘

સિંધ અને ભારતનો નાતો 

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, ‘મેં જોયું છે કે જ્યારે પણ લખનૌમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ થાય ત્યારે સિંધી સમાજના લોકો તેમાં અચૂક ભાગ લે છે. રામાયણમાં લખેલા શ્લોકથી એ સ્પષ્ટ થાય છે કે સિંધ પ્રદેશ રાજા દશરથના રાજ્યનો ભાગ હતો. આપણી સંસ્કૃતિમાં ગંગા સૌથી પૂજનીય છે પણ બીજા દેશોમાં ભારતની ઓળખ સિંધુ નદીથી થાય છે. વેદનું જ્ઞાન પણ સૌથી પહેલા સિંધ ક્ષેત્રમાં જ આવ્યું હતું.’

રાજનાથ સિંહે સિંધીસમાજમાં લોકોના વખાણ કરતાં વધુમાં કહ્યું હતું, કે આજે ભારત અને વિશ્વભરમાં સિંધી સમાજની ઓળખ તેમની મહેનતના કારણે છે. તેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સિંધી ભાષાની મીઠાશ, સંત કાવ્ય અને સિંધી કળા આપણી પરંપરાઓ દર્શાવે છે.

નોંધનીય છે કે સિંધ પાકિસ્તાનનો ત્રીજો મોટો પ્રાંત છે. સ્વતંત્રતા સમયે સિંધ પાકિસ્તાનનું ભાગ બન્યો. તે સમયે અહીં મોટી સંખ્યામાં હિન્દુઓ પણ રહેતા હતા.


Related Posts

Load more